ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા માળી તાલીમ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  

   રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની નવી યોજના વર્ષ ૨૦૨૩-૨૪ માટે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યોમાં વૃધ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાનો નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવીન યોજના તરીકે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત http//ikhedut.gujarat.gov.in ના માધ્યમ મારફતે તા.૨૨/૦૯/૨૦૨૩ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. 

આ યોજના અંતર્ગત ૧૮ થી ૪૫ વર્ષના તાલીમાર્થીને ત્રણ દિવસીય તાલીમ, ગાર્ડન ટુલ કીટ અને રૂ. ૨૫૦/- પ્રતિ દિનની મર્યાદામાં વૃત્તિકા મળવાપાત્ર રહેશે. આ યોજનામાં લાભ લેવા માંગતા અરજદારો પાસેથી http//ikhedut.gujarat.gov.in ના માધ્યમ મારફતે તા.૨૨/૦૯/૨૦૨૩ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ અરજદારે સહી કરી નિયત સમયમાં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, રાજેન્દ્ર ભુવન, વેરાવળ (ફોન નં:- ૦૨૮૭૬-૨૪૦૩૩૦), ગીર સોમનાથ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત દિન-૭ માં મોકલી આપવા બાગાયત વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related posts

Leave a Comment